દેશમાં કોરોનાના 54,440 દર્દીઓ થયા રિકવર, રિકવરી રેટ વધીને 41 ટકા
Live TV
-
સક્રિય કેસોની સંખ્યા 73 હજાર 560 પહોંચી.૩ હજાર 867 લોકોના થયા મરણ.
આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા મુજબ , દેશમાં કોરોના વાયરસના સક્રીય કેસની સંખ્યાં, 73 હજાર 560 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના મહામારીના કારણે , અત્યાર સુધીમાં 3 હજાર 867 લોકો એ , જીવ ગુમાવ્યો છે. જ્યારે 54 હજાર 440 લોકો , આ સંક્રમણથી મુક્ત થઈને , સ્વસ્થ થયાં છે. તો ICMR એ હાઇડ્રોક્સીક્લોરોક્વીનને મુદ્દે નવા દિશાર્નિદેશ જાહેર કર્યા છે. હવે હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ -19 સંક્રમણને રોકવા કામ કરી રહેલા કર્મચારી ઉપરાંત હોસ્પિટલના તબીબ, કર્મચારી અને પોલીસ દળના લોકો તબીબી સલાહને આધારે લઇ શકે છે.
