દેશમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 3100ને પાર પહોંચી
Live TV
-
હાલ દેશમાં 58802 જેટલા એક્ટિવ કેસ, જ્યારે 39 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી પરત ઘરે ફર્યા
દેશભરમાં કોરોનાનો કેર વધતો જઇ રહ્યો છે. લૉકડાઉન-04 માં અપાયેલી કેટલીક છુટછાટ વચ્ચે દેશમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 3100ને પાર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં 58 હજારથી વધુ કોરોનાના એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે આજે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં 58802 જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસના કારણે 3163 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. તો આ તરફ રાહતની વાત એ છે કે, કોરોના વાયરસનો ભોગ બનેલા 39173 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.
