દેશમાં કોરોના વાયરસના 61 હજારથી વધુ એક્ટિવ કેસ, 42 હજારથી વધુ સાજા થયા
Live TV
-
આરોગ્ય વિભાગના અપડેટ આંકડા મુજબ કોરોનાથી મરનારા દર્દીઓની સંખ્યા 3303 પર પહોંચી
દેશભરમાં કોરોનાનો કેર વધતો જઇ રહ્યો છે. લૉકડાઉન-04 માં અપાયેલી કેટલીક છુટછાટ વચ્ચે દેશમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 3303 પર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં 61 હજારથી વધુ કોરોનાના એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે
આજે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં 61149 જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસના કારણે 3303 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. તો આ તરફ રાહતની વાત એ છે કે, કોરોના વાયરસનો ભોગ બનેલા
42297 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.
