દેશમાં 24 કલાકમાં કોરોનાના 37,148 કેસ, 587 મૃત્યુ
Live TV
-
દેશમાં કોરોના વાયરસના સક્રિય સંક્રમિત કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 7,24,578 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. ગત 24 કલાકમાં 24,491 લોકો સ્વસ્થ થયાં છે. હાલ દેશમાં સંક્રમણના કુલ 4,02,529 સક્રીય કેસ છે. જ્યારે આ મહામારીના કારણે 28,084 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં નવા 37,148 કેસ નોંધાયા હતાં...દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ 11,55,191 કેસ થયાં..દેશમાં કોરોનાના કુલ 1.43 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા...20 જુલાઈએ કોરોનાના 3,33,395 ટેસ્ટ થયા...24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્ર,તમિલનાડુ,આંધ્રપ્રદેશમાં કેસ નોંધાયા...
