દેશમાં 24 કલાકમાં 7 હજારથી વધુ લોકો કોરોનાને માત આપી સાજા થયા
Live TV
-
કોરોના કેસનો આંકડો 3 લાખને પાર પહોંચ્યો, કુલ 8884 લોકોના મોત, રિકવરી રેટ વધીને 49.94 ટકા થયો
દેશમાં કોરોના વાયરસના કેસ 3 લાખને પાર પહોંચી દયા છે. જ્યારે 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે 386 લોકોના મોત થયા છે. તો રાહતના સમાચાર એ છે કે, દેશમાં રિકવરી રેટ વધીને 49.94 ટકાએ પહોંચી ગયો છે. આંકડાઓ પર નજર કરીએ તો. રાજ્યમાં 24 કલાકમાં 11,458 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 3,08,993 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 8884 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકની અંદર 7135 લોકો સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 49.94 ટકા પહોંચી ગયો છે.
