પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આવતીકાલે કરશે ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક ધારણ કર્યા વિના બહાર ન નિકળવા કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે અન લોક વન પછી પહેલી જ વાર 21 રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપ રાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત ચીત કરીને કોવિડ- 19 ની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી હતી. આવતીકાલે બાકીના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે બીજા તબક્કામાં ચર્ચા કરશે. સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19 નો મૃત્યુ દર ખુબ નીચો છે અને રીકવરી રેટ 50 ટકા કરતાં પણ ઉંચો છે. અન લોક વનમાં આર્થિક પ્રવૃત્તિ અને આવક બંનેમાં સુધારો થઇ રહ્યો છે. ટોલ કલેક્શન પણ ,વધ્યું છે. તેમણે જણાવ્યુ હતુ કે હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારા રોજગારીની વધુ તકોને જન્મ આપશે. તો પ્રવાસી શ્રમિકોને ગૃહ રાજ્ય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કરતાં પ્રધાન મંત્રી એ એમ પણ જણાવ્યું હતું કે વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં વસી રહેલા ભારતીયો પણ સ્વદેશ સુરક્ષિત પાછા ફરી રહ્યા છે. આફતને તકમાં બદલી નાખવા ,આહવાન કરતાં પ્રધાનમંત્રી એ માસ્ક ધારણ કર્યા વિના બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી
