પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં અમ્ફાન વાવાઝોડાએ તારાજી સર્જી, પ.બંગાળમાં 70થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
ચક્રવાત અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં ભારે તબાહી સર્જી છે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 72 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. રાજ્યમાં વીજળીના થાંભલા ઉખડી ગયા છે, સંચાર સેવા ઠપ છે. બંધ પડેલા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને બહાલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઓડિસામાં પણ ઉભા પાક, વૃક્ષો અને માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે. એન.ડી.આર.એફ.ની ટીમ્સ રાહત કામમાં લાગી ચુકી છે. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું નબળું પડી ચુક્યું છે અને તેનાથી હવે કોઇ નુકસાન નથી.
