પીએમ મોદી ગુજરાત સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે વાતચીત
Live TV
-
15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે બેઠક કરી યોજી હતી.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક આજે પણ યથાવત રહેશે.. આજે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બેઠકમાં ભાગ લેશે.. ગઈકાલે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોની સાથે આ મુદ્દે છઠ્ઠી વખત સંવાદ કર્યો હતો... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગ્ય સમય પર લેવાયેલા નિર્ણયોના કારણે દેશમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહ્યું.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ''જાન હૈ તો જ્હાન હૈ'' નું મંત્રનો ઉલ્લેખ કર્યો હતો.. અને કહ્યું હતું કે, આર્થિક ગતિવિધિઓ અને આરોગ્ય સુવિધાઓની સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો..
