પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ, પ્રધાનમંત્રીએ શ્રદ્ધા સુમન અર્પિત કર્યા
Live TV
-
અટલજીની જયંતિની દેશભરમાં આજે સુશાસન દિવસના રૂપમાં ઉજવણી થઇ રહી છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે. અટલજીની જયંતિની દેશભરમાં આજે સુશાસન દિવસના રૂપમાં ઉજવણી થઇ રહી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને દિલ્હીમાં તેમના સ્મારક સદૈવ અટલ પર તેમની 98મી જયંતિ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જત પ્રકાશ નડ્ડા તથા અન્ય વરિષ્ઠ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો હતો. વર્ષ 1999માં 13મી લોકસભામાં અટલજીના નેતૃત્વ હેઠળ દેશની એક ગઠબંધન સરકાર બની હતી. તેઓ પ્રથમ પ્રધાનમંત્રી હતા કે, જેમણે તેમનો કાર્યકાળ પુરો કર્યો હતો. અટલજી કુલ 9 વાર લોકસભા માટે તો 2 વાર રાજ્યસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.
