પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સલો રેબેલો ડી સૂસા ભારતની ચાર દિવસની મુલાકાતે
Live TV
-
શ્રી માર્સલોનું શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રસ્મી સ્વાગત કરવામાં આવશે, જેના બાદ તેઓ રાજઘાટ જશે. બાદમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સાથે વાત કરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ભોજન કરશે.
પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સલો રેબેલો ડી સૂસા ચાર દિવસની ભારતની યાત્રા માટે આજે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે પોર્ટુગલના વિદેશમંત્રી, વિદેશ સચિવ અને રક્ષા સચિવ પણ ભારતની મુલાકાતે આવશે. આ રાષ્ટ્રપતિ માર્સલોની પહેલી ભારતની યાત્રા છે.