પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં 24,300 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન પ્રવાસ દરમિયાન બિકાનેરમાં 24,300 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં Six Lane અમૃતસર-જામનગર Green Field Express Wayનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. રાજસ્થાનમાં આ એક્સપ્રેસ-વે 500 કિ.મી.ની લંબાઇ ધરાવે છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ 10,950 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હરિત ઉર્જા કોરિડોરનું તથા બિકાનેરમાં 30 પથારી ધરાવતી હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ સાથે પ્રધાનમંત્રીએ રૂપિયા 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના, પુનઃનિર્માણ યોજનાની અને રતનગઢ-ચુરૂ Rail Double line ની આધારશિલા પણ મૂકી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસના જૂઠથી સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે.
