પ્રધાનમંત્રી આજે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે, 6,800 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
PMAY- શહેરી અને ગ્રામીણ યોજનાઓ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ શરૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે. શિલોંગમાં, પ્રધાનમંત્રી ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. આજે સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેટ કન્વેન્શન સેન્ટર, શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ, લગભગ 11:30 વાગ્યે, તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં તેઓ વિવિધ ચાવીરૂપ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી મેઘાલયની મુલાકાતે
પ્રધાનમંત્રી નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC)નું ઔપચારિક ઉદ્ઘાટન 7 નવેમ્બર, 1972ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી આપશે અને સંબોધન કરશે. NECએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને પ્રદેશના તમામ રાજ્યોમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ અને અન્ય વિકાસ પહેલોને સમર્થન આપ્યું છે. તેણે મૂલ્યવાન મૂડી અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રમતગમત, જળ સંસાધનો, કૃષિ, પર્યટન, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોના નિર્ણાયક અંતરના ક્ષેત્રોમાં બનાવવામાં મદદ કરી છે.
એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી રૂ.2450 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાના એક પગલામાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રને 4G મોબાઇલ ટાવર સમર્પિત કરશે, જેમાંથી 320થી વધુ પૂર્ણ થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે. તેઓ ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ–ડિએન્ગપાસોહ રોડનું ઉદ્ઘાટન કરશે, જે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપ અને શિલોંગની અવરજવરને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ ત્રણ રાજ્યોમાં, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
તેઓ મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્પૉન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે જેથી મશરૂમ સ્પૉન ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતો તથા ઉદ્યમીઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ પણ મળે. તેઓ ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા મધમાખી ઉછેર કરતા ખેડૂતોની આજીવિકા સુધારવા માટે મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં છ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ તુરા અને શિલોંગ ટેક્નોલોજી પાર્ક ફેઝ-2 ખાતે ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. ટેક્નોલોજી પાર્ક ફેઝ-2માં લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ વિસ્તાર હશે. તે વ્યાવસાયિકો માટે નવી તકો પ્રદાન કરશે અને 3000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરમાં કન્વેન્શન હબ, ગેસ્ટ રૂમ, ફૂડ કોર્ટ વગેરે હશે. તે પર્યટનને પ્રોત્સાહન આપવા અને પ્રદેશમાં સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.
પ્રધાનમંત્રી ત્રિપુરાની મુલાકાતે
પ્રધાનમંત્રી રૂ.4350 કરોડથી વધુના મૂલ્યની વિવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ શરૂ કરશે. 3,400 કરોડથી વધુના ખર્ચે વિકસિત આ મકાનો 2 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેશે.
રોડ કનેક્ટિવિટીને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રી અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) NH-08 ને પહોળો કરવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે અગરતલા શહેરમાં ટ્રાફિકની ભીડને હળવી કરવામાં મદદ કરશે. તેઓ PMGSY III (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના) હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈના 32 રસ્તાઓ અને 540 કિલોમીટરથી વધુના અંતરને આવરી લેતા 112 રસ્તાઓના સુધારણા માટે શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી આનંદનગર ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું પણ ઉદ્ઘાટન કરશે.
