સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની રિવ્યુ પિટિશન અરજી ફગાવી
Live TV
-
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનુની પુનઃ વિચાર સમીક્ષા અરજી ખારિજ કરી છે. બિલ્કીસ બાનુએ 13 મે એ આપેલ આદેશ પર સુપ્રીમ કોર્ટમાં ફેર વિચારણા માટે અરજી કરી હતી. ગુજરાતમાં ગોધરા રમખાણ પછી 2002માં તેની સાથે ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને બિલકિસ બાનોએ પડકાર્યો હતો. આ વર્ષે 15 ઓગસ્ટના રોજ, ગુજરાત સરકારે તેના 1992 જેલના નિયમો હેઠળ 11 દોષિતોને સમયથી પહેલા મુક્ત કર્યા હતા.
ગુજરાત સરકારે 11 દોષિતોને માફી આપી હતી
ગત 15 ઓગસ્ટે ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ અગિયાર દોષિતોને માફ કરીને મુક્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ અને સિવિલ સોસાયટીના સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની ભારે નિંદા કરી હતી.
