પ્રધાનમંત્રી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે
Live TV
-
સંસદનું બજેટ સત્ર સુચારૂ રૂપે જારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. આ પહેલાં ગઇકાલે તેમણે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિનું અભિભાષણ દૂરદર્શી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષો દરમિયાન ભારતની ક્ષમતા અને તકોમાં ભારે વૃદ્ધિ થઇ હોવાથી વિશ્વ ભારત તરફ આશાભરી મીટ માંડીને બેઠું છે. વિરોધપક્ષ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2004થી 2014ના એક દાયકાને એક ગુમાવી દીધેલા દાયકા તરીકે યાદ રાખવામાં આવશે.
