Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતની આઝાદીના આગામી 25 વર્ષ ફરજનો સમયગાળો બનવાના છે, કારણ કે દેશ પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આઝાદીના 100 વર્ષના લક્ષ્ય તરફ આગળ વધીને અમે અમૃત કાળને ફરજ કાળ નામ આપ્યું છે. તેમણે આજે આંધ્રના પુટ્ટપર્થી ખાતે સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ વીડિયો કોન્ફરન્સમાં આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંમેલન કેન્દ્ર આધ્યાત્મિક સંમેલન અને શૈક્ષણિક કાર્યક્રમોનું કેન્દ્ર બનશે. અહીં દુનિયાભરના નિષ્ણાતો આવશે. આ કેન્દ્ર દેશના યુવાનો માટે મદદરૂપ થશે.

    પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભારતને "શ્રી હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટર"ના રૂપમાં એક અગ્રણી થિંક ટેન્ક મળી રહી છે. આ કેન્દ્ર આધુનિકતા સાથે આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આ કેન્દ્ર વૈચારિક ભવ્યતા અને સાંસ્કૃતિક દિવ્યતા પણ ધરાવે છે. આ સંમેલન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વભરમાંથી મહાનુભાવો અને ભક્તોએ હાજરી આપી હતી.

    "શ્રી સત્ય સાઈ સેન્ટ્રલ ટ્રસ્ટે" પુટ્ટપર્થીમાં પ્રશાન્તિ નિલયમ ખાતે નવી સુવિધા 'સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટર'નું નિર્માણ કર્યું છે. 'પ્રશાન્તિ નિલય' એ  સત્ય સાઈ બાબાનો મુખ્ય આશ્રમ છે. 'સંમેલન કેન્દ્ર' પરોપકારી  ર્યુકો હીરા દ્વારા દાન આપવામાં આવ્યું છે, તે સાંસ્કૃતિક, વિનિમય, આધ્યાત્મિકતા અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનું સાક્ષી છે. ફેલાયેલા સંકુલમાં ધ્યાન હોલ, શાંત બગીચા અને રહેવાની સગવડ પણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply