પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોર્ટ બ્લેયરમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટ બ્લેયરમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ નવું ટર્મિનલ જૂના ટર્મિનલ કરતા પાંચ ગણુ મોટું છે અને તે 710 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટ બ્લેયરમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ નવું ટર્મિનલ જૂના ટર્મિનલ કરતા પાંચ ગણુ મોટું છે અને તે 710 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ એરપોર્ટનું નિર્માણ 40 હજાર 800 વર્ગ મીટર ક્ષેત્રમાં થયું છે. દર વર્ષે 50 લાખ યાત્રીઓની અવરજવર અહીંથી થશે. આ એરપોર્ટની આકૃતિ સમુદ્ર અને દ્વીપને પ્રદર્શિત કરી રહી છે. નવા એરપોર્ટમાં સવારે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે,,, જેથી કૃત્રિમ વીજળીનો ઉપયોગ ઓછો થાય. ઉપરાંત એરપોર્ટ પરિસરમાં 500 કિલોવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. આ નવા ટર્મિનલના ઉદ્દઘાટનથી પ્રવાસ ક્ષેત્રને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે અને અર્થવ્યવસ્થા મજબૂત બનશે.
