પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગાલુરૂમાં ભારત ઉર્જા સપ્તાહનું કરશે ઉદ્દઘાટન
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગાલુરૂમાં ભારત ઉર્જા સપ્તાહનું ઉદ્દઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે ઉર્જા સપ્તાહમાં દુનિયાભરમાંથી આવેલા 30થી વધારે મંત્રીઓ અને ઉર્જા નિષ્ણાંતો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરૂ ખાતે ભારત ઉર્જા સપ્તાહ 2023નું ઉદઘાટન કરશે. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા ઉર્જા સપ્તાહમાં વિશ્વભરના 30 થી વધુ ઉર્જા મંત્રી અને પ્રતિનિધીઓ ભાગ લે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી વૈશ્વિક તેલ અને ગેસ સંસ્થાનોના CEO સાથે પણ સંવાદ કરશે. તેની સાથે-સાથે જ ગ્રીન એન્જિને પ્રોત્સાહન આપનારી કેટલીક યોજનાઓનો પણ શુભારંભ આજે કરવામાં આવશે. પ્રધાનમંત્રી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેલ વિતરણ કંપનીઓના એથનોલ મિશ્રણ ધરાવતા 84 રીટેલ આઉટલેટ એવા ઇ - ટ્વેન્ટિનું પણ ઉદઘાટન કરશે. તેઓ ઇન્ડિયન ઓઇલ ઇન્ડોર સૌર કુકિંગ સિસ્ટમ - ટ્વિન કુકટોપ - નું લોકાર્પણ પણ કરશે.
