પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુરોપિયન સંઘના વર્ચુઅલ સંમેલનને કરશે સંબોધિત
Live TV
-
સંમેલનમાં વેપાર અને રોકાણ પર રહેશે ભાર-કોરોના સામેના પ્રયાસો અને વેક્સિનના વિકાસ પર પણ થશે ચર્ચા.
ભારત અને યુરોપીય યુનિયન સંઘ વચ્ચે આજથી 15માં શિખર સંમેલનની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંમેલનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લેશે.
આ સંમેલનમાં પરસ્પરના વેપાર પર ખાસ ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત કોવિડ-19 વિરૂદ્ધ પ્રયાસો અને વેક્સિનના વિકાસ અંગે પર પણ ચર્ચા થઈ શકે છે. ઉપરાંત આ સંમેલનમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દો પર પણ ચર્ચા થવાની આશા છે.
