પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 20-20ને કરશે સંબોધિત,નવી શિક્ષણ નીતિ 2020 પર રજૂ કરશે પોતાના વિચાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી હેકાથોન સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે. આ અવસરે પ્રધાનમંત્રી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઉપર પણ વ્યક્તવ્ય આપશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2020 સોફ્ટવેરનો ગ્રાન્ડ ફિનાલે 3 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે દસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. મહત્વનું છે કે તાજેતરમાં જ નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી છે. જેનાં કારણે સ્કૂલમાં તેમજ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે વ્યાપક અને ક્રાંતિકારી સુધારાઓનો માર્ગ મોકળો બનશે.
