પ્રધાનમંત્રી 6 ઓગસ્ટે દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજનાના ભાગરૂપે 508 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક પહેલ અંતર્ગત 6 ઓગસ્ટનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજનાના ભાગરૂપે 508 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે. આ સ્ટેશનોનું 24 હજાર 470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ અવારનવાર અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂક્યો છે.
રેલવે દેશભરના લોકોના પરિવહનનું પસંદગીનું માધ્યમ છે તેની નોંધ લઈને તેમણે રેલવે સ્ટેશનો પર વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ યોજનામાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
