બજેટ પર ચર્ચા બાદ નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યો જવાબ
Live TV
-
સામાન્ય બજેટ પર ચર્ચા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યો જવાબ- કહ્યું આ બજેટ આગામી દસ વર્ષનું વિઝન રજૂ કરે છે- બજેટથી સરકારના કર રાજસ્વમાં થશે વધારો- તો, રાજ્યસભામાં પણ શ્રીલંકાના તમિલ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા ઉઠી માંગ.
લોકસભામાં વર્ષ 2019-20 ના સામાન્ય બજેટ પર આજે ફરીથી ચર્ચા થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપતાં કહ્યું હતું કે, જીએસટી લાગુ થયા પછીનું આ બીજું બજેટ છે. આ બજેટમાં તેઓ સબકા સાથ સબકા વિકાસને પ્રાથમિકતા આપી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ બજેટ આવતા દસ વર્ષનું વિઝન રજૂ કરે છે.રાજ્યસભામાં પણ આજે , સામાન્ય બજેટ પર ચર્ચા ચાલી રહી છે.