ભારત અને ચીન સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હલ કરવા સંમત
Live TV
-
આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે
ભારત અને ચીન વિવિધ દ્વિપક્ષીય કરાર અનુસાર સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હલ કરવા સંમત થયા છે. દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે ભારત-ચીન સરહદી પ્રદેશોમાં શાંતિ અને સુલેહ જરૂરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે લેહ સ્થિત કોર્પ્સ કમાન્ડર અને ચીની કમાન્ડર વચ્ચે ગઈકાલે એક સૌમ્ય અને સકારાત્મક વાતાવરણમાં બેઠક મળી હતી.
એઆઈઆરના સંવાદદાતાના અહેવાલમાં જણાવાયું છે કે બંને પક્ષોએ નોંધ્યું છે કે આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે અને સંમત થયા હતા કે આ ઠરાવ સંબંધોને આગળ વધારવામાં ફાળો આપશે. તેઓ પરિસ્થિતિને હલ કરવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા લશ્કરી અને રાજદ્વારી જોડાણ ચાલુ રાખવા સંમત થયા હતા. શુક્રવારે બંને દેશોના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વી એશિયા) નવીન શ્રીવાસ્તવે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચીનના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ વૂ જિઆંગોઓ સાથે વાત કરી. તેઓ સંમત થયા કે હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં સ્થિરતા માટે ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ, સ્થિર અને સંતુલિત સંબંધો અત્યંત આવશ્યક છે.ભારત અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાતચીત લગભગ છ કલાક ચાલી હતી. લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તેમના બ્રિગેડિયર્સની આગેવાની હેઠળના ભારતીય આર્મીના પ્રતિનિધિમંડળના ઔપચારિક સ્વાગત બાદ, બેઠક શનિવારે બપોર પહેલા જ શરૂ થઈ હતી.પીપલ્સ લિબરેશન આર્મીના સાઉથ ઝિનજિયાંગ સૈન્ય વિભાગના કોર્પ્સ કમાન્ડર, મેજર જનરલ લિન લુઇએ ચીની ડેલિગેશનની અધ્યક્ષતા કરી હતી. મીટિંગ શનિવારે સાંજે 5.30 વાગ્યે સમાપ્ત થઈ હતી
