ભારત કોરોના અપડેટ: નવા 32,695 કેસ; રિકવરી રેટ વધીને 63.25 ટકા પર
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 32,695 નવા કેસ સામે આવ્યા છે...તો છેલ્લા 24 કલાકમાં વધુ 606 દર્દીઓના દુ:ખદ મૃત્યુ થયા..અને વધુ 20,514 દર્દીઓ સાજા થયા...દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 9,68,876 કેસ નોંધાયા છે, જેમાંથી હાલ 3,31,146 કેસ સક્રિય છે, તો અત્યાર સુધી 6,12,815 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...તો દેશનો કુલ મૃત્યુઆંક 24,915 પર પહોંચ્યો છે...રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ વધીને 63.25 ટકા પર પહોંચ્યો..મહત્વનું છે કે દેશમાં અત્યાર સુધી 1 કરોડ 27 લાખ 39 હજાર 490 ટેસ્ટ થઇ ચૂક્યા છે...જેમાંથી 3 લાખ 26 હજાર 826 ટેસ્ટ તો ગઇકાલે એટલે કે 15 જુલાઇએ જ કરવામાં આવ્યા હતા....
