રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી બે દિવસ માટે લદ્દાખની મુલાકાતે
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી બે દિવસ માટે લદ્દાખની મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીર પણ જશે તેમની સાથે સેના પ્રમુખ મનોજ મુકૂંદ નરવણે પણ ઉપસ્થિત રહેશે,.17 જૂલાઈ એ રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે જશે અને 18 જૂલાઈએ તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ મહિનાની શરૂઆતમાં 3 જૂલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખની મુલાકાત લીધી હતી.,જ્યાં તેમણે અગ્રીમ પોસ્ટ પર જવાનો સાથે મુલાકાત લઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રધાનમંત્રીએ થલ સેના., વાયુ સેના અને ITBP ના જવાનો સાથે મુલાકાત કરી હતી. ભારત-ચીન સીમા પર તણાવ વચ્ચે પ્રધાનમંત્રીએ પરોક્ષ રૂપે કડક સંદેશ પણ આપ્યો હતો. જો કે, મંગળવારે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની ચોથા તબક્કાની વાતચીત થઈ હતી., આ બેઠક મેરેથોન બેઠક મળી હતી જે 14 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી...
