ભારત કોરોના અપડેટ: રિકવરી રેટ વધીને 63.91% પર, મૃત્યુદર 2.31% પર પહોંચ્યો
Live TV
-
દેશમાં ગઇકાલે કોરોનાના નવા 48,661 કેસ નોંધાયા છે...ગઇકાલે વધુ 705 દર્દીઓના મૃત્યુ સાથે દેશમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક 32,063 પર પહોંચ્યો છે...ગઇકાલે વધુ રેકોર્ડબ્રેક 36,145 દર્દીઓ સાજા થઇને પરત ફર્યા છે...દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 13 લાખ 85 હજારને પાર પહોંચ્યો છે...જેમાંથી 8.85 લાખથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે..દેશમાં હાલ 4.67 લાખથી વધારે કેસ સક્રિય છે...છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં નોંધાયાં છે...
25 જુલાઇ સુધી દેશમાં કુલ 1 કરોડ 62 લાખ 91 હજાર 331 કોરોનાના ટેસ્ટિંગ થયા છે, જેમાંથી 25 જુલાઇએ દેશમાં કોવિડ-19ના 4 લાખ 42 હજાર 263 ટેસ્ટ કરવામાં આવ્યા...દેશમાં ટેસ્ટિંગ લેબની સંખ્યા વધીને 1307 પર પહોંચી છે, જેમાં 905 સરકારી લેબ અને 402 પ્રાઇવેટ લેબ છે...
જો કે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 63.91 ટકા પર પહોંચ્યો છે..તો દેશમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 2.31 ટકા પર પહોંચ્યો છે...
