મમતા બનર્જીના વિરુદ્ધમાં દિલ્હીમાં ભાજપના નેતાઓનું મૌન પ્રદર્શન
Live TV
-
કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં સર્જાયેલી અથડામણ બાદ દિલ્લીમાં રાજનિતિક ધમાસાણ શરૂ થઈ ગયું છે. ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણીપંચ સાથે મુલાકાત કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
સાથે જ સાતમાં તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તે વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ફ્લેગમાર્ચ કરાવવાની પણ માગ કરી હતી. એ ભાજપે ચૂંટણીપંચ સમક્ષ અરાજકતા ફેલાવનારા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી દરમિયાન , આજે દિલ્લીમાં જંતર મંતર પર ભાજપના નેતાઓ દ્વારા મમતા બેનરજી વિરુદ્દ હાથમાં હોર્ડિંગ્સ લઈને મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, યુપી અને મહારાષ્ટ્ર પછી દેશમાં સૌથી વધુ બેઠકો ધરાવતા રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રોડ રોડ શો માટે ઉત્તર કોલકાતા પહોંચ્યા હતા. અમિત શાહ ખુલી ગાડીમાં લોકો વચ્ચે રેલીમાં નીકળ્યા હતા. બાદમાં અમિત શાહે લોકોને સંબોધિત કરી મમતા સરકાર પર ભારપૂર્વક હુમલા કર્યા હતા.
જો કે બાદમાં અચાનક અમિત શાહના વાહન પર હુમલો થતા રોડ શોમાં વિક્ષેપ થયો હતો. અમિત શાહે મીડિયાને સંબોધતા કહ્યું કે પોલીસની હાજરી હોવા છતાં આ હુમલો કેવી રીતે થઈ શકે. આ ધટનાના સંદર્ભમાં ભાજપના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં, ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં વારંવાર થતી હિંસા સામે ફરિયાદ નોંધી હતી.