મિઝોરમમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા, કોઈ જાનહાનિ નહીં
Live TV
-
આજે સવારે મિઝોરમમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. મિઝોરમના ચંપઈથી 27 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 જાણવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલૉજી પ્રમાણે, ભૂકંપ સવારે 4 વાગીને 10 મિનિટ પર આ આંચકો અનુભવાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી સ્થિતિ જાણવાની કોશિશ કરી હતી અને પ્રધાનમંત્રીએ મદદ માટે આશ્વાસન પણ આપ્યું હતું.
જો કે મુખ્યમંત્રી જોરમથંગાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, 'મિઝોરમમાં 12 કલાકની અંદર 2 ભૂકંપ આવ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા નુકશાનનું વિવરણ કરવામાં આવી રહ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સહયોગના આશ્વાસન માટે હું પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો આભારી છું.'
