યુપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂના કારણે મરનારાઓની સંખ્યા 70એ પહોંચી
Live TV
-
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ઝેરી શરાબ પીવાથી થયેલ મોતનો આંકડો 46 સુધી પહોંચી ગયો છે. તેની સાથે જ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂના કારણે મરનારાઓની સંખ્યા 70 થઈ ગઈ છે.
પોલીસ હાલમાં પણ ગેરકાયદેસર ચાલતી દુકાનો-ઠેકા પર છાપો મારી રહી છે. ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતા 30 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તરાખંડના 12 લોકો સામેલ છે. તેમના પર કલમ 60-એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.