રક્ષામંત્રી રાજનાથસિંહ લેહ પહોંચ્યા, સરહદીય સુરક્ષાની કરશે સમીક્ષા
Live TV
-
બે દિવસની મુલાકાત દરમિયાન સરહદે તૈનાત જવાનો સાથે સુરક્ષા મુદ્દે પણ કરશે ચર્ચા
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ માટે લદ્દાખ અને શ્રીનગરની મુલાકાતે છે.. ત્યારે આજે સવારે રાજનાથ સિંહ લેહ એરપોર્ટ પર પહોંચ્યાં હતા જ્યાં સૈન્યના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું.... રક્ષામંત્રી રાજનાથ સિંહ પૂર્વ લદાખ ક્ષેત્રમાં આવેલી મહત્વની પોસ્ટ પર જવાનો સાથે મુલાકાત કરશે તેમની સાથે વાતચીત પણ કરશે અને તેમને સંબોધન પણ કરશે આ ઉપરાંત લેહમાં રક્ષામંત્રી સેના અને વાયુસેના વચ્ચે સમન્વયની તૈયારીઓનું નિરીક્ષણ પણ કરશે.... રક્ષામંત્રી સાથે સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકૂંદ નરવણે પણ ઉપસ્થિત રહ્યાં છે.
