રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે રવાના
Live TV
-
બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયેત વિજયની 75મી વર્ષગાંઠનાં પ્રસંગે મોસ્કોમાં આયોજીત એક ભવ્ય સૈન્ય પરેડમાં ભાગ લેશે
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રશિયાના ત્રણ દિવસના પ્રવાસ માટે નવી દિલ્હીથી રવાના થયાં છે.. રાજનાથ સિંહ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયેત વિજયની 75મી વર્ષગાંઠનાં પ્રસંગે મોસ્કોમાં આયોજીત એક ભવ્ય સૈન્ય પરેડમાં ભાગ લેશે.... રશિયા રવાના થતાં પહેલાં રાજનાથ સિંહે એક ટ્વિટ સંદેશમાં પોતાના પ્રવાસ વિશે માહિતી આપી હતી અને આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે., તેમની આ ત્રણ દિવસીય યાત્રાથી બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારીને વધુ મજબુત કરવા અંગે વાતચીત કરવાનો અવસર મળશે.. રક્ષામંત્રીએ ઉમેર્યું હતું કે, તેઓ મોસ્કોમાં સોવિયેત વિજયની 75મી વર્ષગાંઠ પર આયોજીત સૈન્ય પરેડમાં પણ ભાગ લેશે..
