રાજસ્થાનમાં સરકાર પર સંકટ યથાવત, ભાજપે કરી તત્કાલ બહૂમતિ સાબિત કરવાની માગણી
Live TV
-
સચિન પાયલોટ અને સમર્થક ધારાસભ્યોને હટાવ્યા બાદ ગેહલોતે કરી કેબિનેટની ઈમરજન્સી બેઠક
દીધી છે. આ વિશે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતુ કે, સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદે અને રાજસ્થાનના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
તેમની સાથે વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણાને પણ બરતરફ કરવામાં આવ્યા છે. રાજસ્થાન યુવા કોંગ્રેસના અધ્યક્ષ મુકેશ ભાકરને પણ હટાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાયલટના કેટલાંક નજીકના ગણાતાઓ પર પણ કડક પગલા ભરવામાં આવ્યાં છે. જ્યારે નવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે ગોવિંદ સિંહ ડોટાસરાની નિમણૂંક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈકાલે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં સચિન પાઇલોટ સહિત નારાજ ધારાસભ્યોને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ સચિન પાયલટ પોતાના જૂથ સાથે આ બેઠકમાં હાજર રહ્યા નહોતાં. બીજી તરફ ભાજપે તત્કાલ વિધાનસભામાં બહુમત સાબીત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં રાજકીય ગરમાવાને પગલે કોંગ્રેસ અને ભાજપમાં બેઠકોનો દોર પણ શરૂ થયો છે.
