રાજસ્થાન HC: કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર 24 જુલાઈ સુધી કોઈ કાર્યવાહી નહીં કરાઈ
Live TV
-
સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોએ પોતાની સામે વિધાનસભાની સદસ્યતા રદ કરવા મામલે વિધાનસભા અધ્યક્ષે જાહેર કરેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી
રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટ સહિત રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મામલે ગઇકાલે ફરી રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આ અંગે 24 જુલાઈ સુધી નિર્ણય ટાળી દીધો છે. રાજસ્થાન હાઈકોર્ટે સ્પીકરને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર 24 જુલાઈ સુધી કોઈ કાર્યવાહી નહીં કરવા કહ્યું છે. નોંધનીય છે કે, સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોએ પોતાની સામે વિધાનસભાની સદસ્યતા રદ કરવા મામલે વિધાનસભા અધ્યક્ષે જાહેર કરેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. કોંગ્રેસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ અને અન્ય 18 ધારાસભ્યોએ પોતાની સદસ્યતા રદ કરવા વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરી હતી. ત્યારે આ નેતાઓને પક્ષના વ્હિપનું ઉલ્લંઘન કરવા મામલે ,નોટિસ અપાઈ છે.
