રાજ્યસસભાના સાંસદ અને પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું નિધન
Live TV
-
રાજ્યસસભાના સાંસદ અને પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું નિધન થયુ છે. આજે સિંગાપુરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા 6 માસથી તેમની તબિયત નાદુરસ્ત હતી. સીંગાપુરની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેમનું મૃત્યુ થયુ છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
