રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ મોકળો કરવા કન્યા શિક્ષણમાં રોકાણ કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ મુર્મૂ
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે કે મહિલાઓના શિક્ષણમાં રોકાણ કરવાથી રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ મોકળો થશે. જેથી તેઓ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. ચેન્નાઇના મદ્રાસ યુનિવર્સિટીના 165 માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા તેમણે આમ કહ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ લિંગ સમાનતાને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ દ્વારા છોકરાઓને સશક્ત બનાવવાના યુનિવર્સિટીના પ્રયાસોની પ્રશંસા કરી.
આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનનું મિશ્રણ અને શિક્ષણ અને સામાજિક વિકાસ માટે વ્યાપક અભિગમ અપનાવવાનું મહત્વ વ્યક્ત કર્યું. દીક્ષાંત સમારોહમાં તામિલનાડુના રાજ્યપાલ આર. એન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, ટીએન ઉચ્ચ શિક્ષણ મંત્રી પોનમુડી અને મદ્રાસ યુનિવર્સિટીના વાઇસચાન્સેલર એસ. ગોવારી સમારોહ પછી રાષ્ટ્રપતિ તામિલનાડુના રાજ્યપાલ આર. એન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. રાજભવન ખાતે જયાં તે પ્રદેશના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ સાથે વાર્તાલાપ કરશે. બાદમાં સાંજે તે મહાન કવિ મહાકવિ સુબ્રમણ્ય ભરથીયારના પોટ્રેટનું અનાવરણ કરશે અને રાજભવનના દરબાર હોલનું નામ બદલીને "ભારથીયાર હોલ" રાખશે. જે તેમના કાયમી વારસાને માન આપશે.
