રાષ્ટ્રપતિએ પદ્મ એવોર્ડ્સ માટે પસંદ કરાયેલ 112 વ્યકિતઓમાંથી 56 વ્યક્તિઓનું સન્માન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે પદ્મ એવોર્ડ્સ માટે પસંદ કરાયેલ 112 વ્યકિતઓમાંથી 56 વ્યક્તિઓનું સન્માન કર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓમાં ગુજરાતની નોંધપાત્ર વ્યક્તિ ડો. બિમલ પટેલ પણ છે. બિમલ પટેલને શિક્ષણ આર્કિટેક્ચર કૃષિ અને સામાજીક કાર્યક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના અધ્યક્ષ છે. તેમના કેટલાક નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા આગા ખાન એકેડેમી હૈદરાબાદ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ભુજ ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ ગુજરાત હાઇ કોર્ટ આઇઆઇએમ અમદાવાદ ન્યૂ કેમ્પસ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. બિમલ પટેલે આ અંગે દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી.