રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યાન ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા ઉદ્યાન ઉત્સવ 2023ના ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. ઉદ્યાનમાં દર્શક તુલિપના છોડની 12 વિવિધ જાતો જોઈ શકે છે. આ છોડ પર તુલિપના ફુલ બે તબક્કામાં ખિલતા જોવા મળશે. આ વખતે આ ઉદ્યાન બે મહિના સુધી ખોલવામાં આવ્યો છે. સામાન્ય જનતા માટે આ ઉદ્યાન 26 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ખૂલ્લો રહેશે. જ્યારે 28થી 31 માર્ચ વચ્ચે ફક્ત વિશિષ્ટ શ્રેણીના દર્શકોને પ્રવેશ મળશે. દર્શકો માટે દૈનિક સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 6 સ્લોટ રાખવામાં આવ્યા છે. લોકોને યાત્રા દરમિયાન કોઈ છોડ અથવા ફૂલ વિષય વધુ માહિતી મેળવવા ગાર્ડનમાં મૂકેલા ક્યુઆર કોડને સ્કેન કરી શકે છે.
