રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નહીં : RBI
Live TV
-
રેપો રેટ 4 ટકા જ્યારે રિવર્સ રેપોરેટ 3.35 ટકાએ યથાવત
રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે આજે મૌદ્રીક નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરી હતી. ડીજીટલ માધ્યમથી આ નિર્ણયોની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સમિતિએ રેપોરેટને ચાર ટકા તેમજ રિવર્સ રેપોરેટને 3.5 ટકા યથાવત રાખવા નિર્ણય લીધો છે. રીઝર્વ બેન્કની છ સભ્યોની બનેલી મૌદ્રીક નિતી સમિતિએ ત્રણ દિવસ મંથન કરીને આ નિર્ણય લીધો છે. આર્થિક વિકાસની રફ્તાર વધારવા આ સમિતિએ વીતેલા બે મહિનામાં મળેલી બે બેઠક દરમિયાન રેપોરેટમાં 115 પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. વર્તમાન બેઠકમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એમ બંનેને યથાવત રાખવા નિર્ણય લેવાયો છે.
