રેલવે મંત્રી સાથે વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટનાનો તાગ મેળવ્યો
Live TV
-
પશ્ચિમ બંગાળમાં ઘટેલી રેલવે દુર્ઘટના અંગે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાતચીત કરી, સમગ્ર દુર્ઘટના અંગે તાગ મેળવ્યો હતો. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ મારફત આપી હતી. આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, "રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો ઝડપથી સાજા થાય."
