રેલ મંત્રાલયે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડ્યા
Live TV
-
પ્રવાસી શ્રમિકો માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. રેલ મંત્રાલય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા ઝડપથી રેલ ગાડીઓનું સંચાલન કરી રહ્યું છે. ચાલીસ લાખથી વધુ લોકોને તેમના ગૃહ રાજ્ય મોકલવામાં આવ્યા છે.
બે હજાર 608 ટ્રેન પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે. 853 ટ્રેન ગુજરાતથી, 550 ટ્રેન મહારાષ્ટ્રથી, પંજાબથી 333 ટ્રેન, ઉત્તરપ્રદેશમાંથી 221 તો દિલ્હીથી 181 ટ્રેન દેશના વિવિધ રાજ્યોમાંથી પરિચાલન કરવામાં આવી હતી. આમાંથી કુલ એક હજાર 254 ટ્રેન ઉત્તરપ્રદેશમાંથી, બિહારમાં 846, ઝારખંડમાં 123 ટ્રેન અને ઓડિશામાં 73 ટ્રેનોએ પોતાની યાત્રા સમાપ્ત કરી હતી.
