લખનઉના હસરત ગંજ વિસ્તારમાં ઇમારત ધ્વસ્ત, 14 લોકોને બચાવાયા
Live TV
-
લખનઉમાં હસરત ગંજ સ્થાનિક વિસ્તારમાં વજીર હસન રોડ પર ગઈકાલે સાંજે પાંચ માળની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. છેલ્લા 14 કલાકથી NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં કાર્યરત છે. ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધી 14 લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. હજૂ ત્રણ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં લખનઉના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે કાટમાળમાં ફસાયેલ લોકો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે અને તેઓને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
