લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે વિપક્ષના નેતાઓનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં
Live TV
-
આગામી 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે ચૂંટણીના આ જંગમાં વિપક્ષ પણ પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યું છે.
આગામી 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે ચૂંટણીના આ જંગમાં વિપક્ષ પણ પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યું છે. ત્યારે આજે પંજાબમાં BSP સુપ્રીમો માયાવતી જનસભા કરશે. અને જનતા પાસેથી BSPના સમર્થનમાં મતદાનની અપીલ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા સચિન પાયલટ પંજાબના અનંતપુર સાહેબ બેઠક પર પ્રચાર કરશે. આ બેઠક 2019માં કોંગ્રેસે જ જીતી હતી. પંજાબની તમામ 13 બેઠકો પર અંતિમ તબક્કામાં 1 જુનના રોજ મતદાન થશે.
સાથે જ યુપીના પૂર્વાંચલમાં અખિલેશ યાદવ અને ડીમ્પલ યાદવ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. તો RJD નેતા તેજસ્વીની યાદવ બિહારમાં તેમનો પ્રચાર કરશે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડના દેવધરમાં વિશાળ જનરેલી યોજશે.
