વંદે ભારત મિશન : અમેરિકા ભારત માટે 36 ફ્લાઈટનું સંચાલન કરશે
Live TV
-
ભારત અને અમેરિકા વચ્ચે 11થી 19 જુલાઈ વચ્ચે ફ્લાઈટનું સંચાલન થશે, એર ઈન્ડિયાએ આપી જાણકારી
ભારત અને અમેરિકા વચ્ચે 11થી 19 જુલાઈ વચ્ચે ફ્લાઈટનું સંચાલન થશે તેવું એરઈન્ડિયાએ જણાવ્યું છે. વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકા ભારત માટે 36 ફ્લાઈટનું સંચાલન કરશે. ફ્લાઈટનું સંચાલન ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો, શિકાગો એરપોર્ટ પરથી થશે. જે માટે આજે સાંજથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે 5.3 લાખથી વધુ ભારતીય વતન પહોંચ્યા છે. હવે વંદે મિશન અંતર્ગત અમેરિકામાં ફસાયેલા ભારતીયો માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
