વાતાવરણના કારણે 73મા પ્રજાસત્તાક દિનની પરેડના નિર્ધારિત સમયમાં ફેરફાર
Live TV
-
સવારે 10ના બદલે 10:30 એ યોજાશે પરેડ અને ફ્લાયપાસ્ટ
દેશભરમાં 73મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી થઇ રહી છે.રાજધાની દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલશે.આ વર્ષે પરેડ નિર્ધારીત 10 વાગ્યાને બદલે 10:30 વાગે શરુ થશે.ગણતંત્ર સમારંભમાં દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના રાજપથ પર દર્શન થશે.આ વર્ષે ગણતંત્ર દિવસનું આયોજન આઝાદીના 75મા વર્ષમાં થઇ રહ્યું હોવાથી વિશેષ છે. ગણતંત્ર દિવસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધસ્મારકની મુલાકાત થી થશે.પ્રધાનમંત્રી અહીં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે.
