વારાણસીમાં આજથી શરૂ થશે જ્ઞાનવાપીનો વૈજ્ઞાનિક સર્વે, 4 ઓગસ્ટે વારાણાસી કોર્ટને સોંપાશે રિપોર્ટ
Live TV
-
ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ASI આજે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ કરશે, જ્ઞાનવાપી- શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની સ્થાનિક કોર્ટે ASIને સર્વે કરવાનો આદેશ આપ્યો છે
વારાણસી જિલ્લા કોર્ટના નિર્ણય બાદ આજથી વૈજ્ઞાનિક સર્વે શરૂ થયો છે. પુરાતત્વ વિભાગની એક ટીમ વિવાદીત સ્થળ સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે કરશે. પુરાતત્વ વિભાગની ટીમ 'જ્ઞાનવાપી' પહોંચી ગઈ છે. ASI ને 4 ઓગસ્ટ સુધી સર્વે રિપોર્ટ વારાણસીની જિલ્લા અદાલતને રજૂ કરવાનો છે. હિન્દુ પક્ષ તરફથી વજૂખાનાને છોડી સમગ્ર જ્ઞાનવાપી પરિષરનો ASI સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ પક્ષનો દાવો છે કે આ જગ્યા પર પહેલા મંદિર હતું. કાર્બન ડેટિંગ એટલે કે કોઈપણ વસ્તુમાં કાર્બનિક પદાર્થની ઉંમર શોધવી.. કાર્બન ડેટિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત છે. કાર્બન ડેટિંગ માધ્યમ કોઈ વસ્તુની ઉંમર દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આજથી વૈજ્ઞાનિક સર્વે શરૂ થતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણી થઈ શકે છે.
