સંરક્ષણ મંત્રી, માર્ગ-પરિવહન મંત્રી લખનઉ-કાનપુર એક્સપ્રેસ-વેની આધારશિલા રાખશે
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરી આજે લખનઉ - કાનપુર એક્સપ્રેસ-વે નો શિલાન્યાસ કરશે. 1,935 કરોડ રૂપિયાની રકમ થી નિર્માણ થશે. જેનાથી લખનઉ-કાનપુરની વચ્ચેનો પરિવહન સમય 2 કલાકથી ઘટીને 55 મિનીટ થશે. આ રસ્તા પર લગભગ દિવસ દરમિયાન 25000 થી વધુ યાત્રીઓ અવર-જવર કરે છે. લખનઉ - કાનપુર એક્સપ્રેસ વાણિજય વ્યવહાર ક્ષેત્રેમાં પણ વધારો કરશે. જેમાં 6 ફ્લાઈઓવર , 1 રેલવે ઓવર બ્રીજ, 38 અંડરપાસ અને 3 મુખ્ય બ્રીજનો સમાવેશ થશે. પહેલા ચરણમાં 13 કિલોમીટર એલિવેટેડ સેક્શનનો નિર્માણ NHAI કરશે. આ પરિયોજનાને પૂર્ણ કરવાની સમયમર્યાદા 2023 વર્ષ સુધી છે..
