સંસદનું અંદાજપત્ર અધિવેશન 31 જાન્યુઆરથી શરૂ થશે, 66 દિવસમાં 27 બેઠકો થશે
Live TV
-
સંસદનુંઅંદાજપત્ર અધિવેશન આ મહિનાની 31મી તારીખથી શરૂ થશે. કેન્દ્રિય અંદાજપત્ર, પહેલી ફેબ્રુઆરીએ રજુ થાય તેવી શક્યતાછે.
અંદાજપત્ર સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકથી થશે, તે બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુસંબોધન કરશે. અંદાજપત્ર સત્રના પહેલી દિવસે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણરજુ કરવામાં આવશે. અંદાજપત્ર અધિવેશન આ વર્ષે છઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે. તે દરમિયાન 66 દિવસમાં 27 બેઠકો થશે.
ગઈ કાલે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે, 14મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી સામાન્ય રજા રહેશે. એ દરમિયાન, વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતીઓ, અનુદાનોની માંગણીની તપાસ અને પોતાના મંત્રાલયો તેમજ વિભાગો સાથે સંબંધિત અહેવાલ તૈયાર કરશે.
