સાંડેસરા બંધુઓ વિરુદ્ધ PMLA મામલે EDએ કરી અહેમદ પટેલની પૂછપરછ
Live TV
-
આ કેસ સંડેસરા બ્રધર્સ ચેતન અને નિતીન સાંડેસરા સહિતના અન્ય લોકો સામે અંદાજે રુપિયા 15 હજાર કરોડની છેતરપીંડીનો કેસ અંગે પુછપરછ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ટીમ દ્વારા કોંગ્રેસના સિનિયર લીડર અહેમદ પટેલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પુછપરછ કરી હતી. ઇડીએ સાંડેસરા બ્રધર્સ પીએમએલએ કેસમાં તેમનું નિવેદન નોંધ્યુ હતુ.
આ પહેલા અહેમદ પટેલને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. પણ, હાલ કોવિડ-19ને કારણે ઘરની બહાર ન નીકળવાની સલાહ હોવાથી તેમનું નિવેદન લેવાનું બાકી હતુ.
