હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નુહ જિલ્લામાં થયેલી હિંસામાં છ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું
Live TV
-
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે નુહ જિલ્લામાં થયેલી હિંસા દરમિયાન છ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. આજે સવારે આપેલ એક નિવેદનમાં તેમણે કહ્યું કે શકમંદોની ઓળખ કરવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં કુલ 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમને વધુ તપાસ માટે રિમાન્ડ પર મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. તેમણે નાગરિકોને રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.
