21 મી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ
Live TV
-
ગઈકાલે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી આખરે અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
21 મી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે.. ગઈકાલે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી આખરે અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રા કરવાની શ્રદ્ધાળુઓને પરવાનગી આપી છે.. એક દિવસમાં વધુમાં વધુ 500 પ્રવાસીઓ જ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.. કેટલાંક ચુસ્ત નિયમોને આધિન અમરનાથ યાત્રા ઉપરાંત માતા વૈષ્ણોદેવીના દર્શનની પણ પરવાનગી આપવામાં આવી છે.. યાત્રા દરમિયાન દરેક શ્રધ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજીયાત રહશે..
