24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,09,918 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,09,918 કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 959 દર્દીના મૃત્યુ થયા છે. 24 કલાકમાં દેશમાં 2,62,628 દર્દીઓ કોવિડ-19થી સાજા થયા છે અને અત્યાર સુધી કુલ 3,89,76,122 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલમાં સમગ્ર દેશમાં 18,31,268 કોરોનાના સક્રિય કેસ છે.
સમગ્ર દેશમાં 24 કલાકમાં 28,90,986 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં કુલ કોરોના રસીના 166.03 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં 24 કલાકમાં 13,31,198 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 72.89 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
